|
|
|
|
|
|
જાણીએ સ્વચ્છતાનાં
સાત પગલાં |
|
|
| |
|
1. પીવાનું
પાણી સ્વચ્છ રાખીએ
-
પાણી ભરવાનાં
વાસણો, માટલાં અને પાણિયારું સાફ રાખીએ.
-
પીવાનું પાણી
સ્વચ્છ કપડાથી ગાળીને ભરીએ. ડોયો વાપરીએ.
-
પીવાના પાણીનાં
માટલાં, વાસણો ચા સ્થાને રાખીએ જેથી નાનાં
બાળકો કે પશુ-પક્ષી ગંદુ ના કરે.
-
પાણી ઉકાળીને
કે કલોરિનની દવા નાખીને પીએ.
ર.
અંગત સ્વચ્છતા જાળવીએ
-
નિયમિત સ્નાન કરીએ
અને સ્વચ્છ (ધોયેલાં) કપડાં પહેરીએ.
-
હાથના નખ તથા માથાના
વાળ સ્વચ્છ/કાપેલાં રાખીએ.
-
જમતાં પહેલાં અને
સંડાસ પછી હાથ ધોવાની ટેવ પા઼ડીએ.
-
નિયમિત દાંતણ/ બ્રશ
કરીએ. દાંત સાફ રાખીએ.
3.
ઘર સ્વચ્છ રાખીએ
-
રહેવાના ઘરને દરરોજ
સાફ રાખીએ.
-
ઘરમાં હવા-ઉજાસ રહે
તેવી વ્યવસ્થા કરીએ.
-
ઘરની આજુબાજુની જગ્યા
અને આંગણું સાફ રાખીએ.
-
મચ્છરથી બચવા
મચ્છરદાની કે ઘૂપનો ઉપયોગ કરીએ.
4.
ગંદા પાણીનો નિકાલ કરીએ
-
ગંદા પાણીના નિકાલ
માટે શોષખાડા કે નીક બનાવીએ.
-
વપરાયેલું પાણી શકય
હોય ત્યાં ફરી ઉપયોગમાં લઈએ. ઘર વપરાશનું
પાણી ઝાડ, છોડ કે બાગ કે ખેતીમાં વાપરીએ.
-
ઘરની આજુબાજુ કે
ગામમાં પાણીના રેલા કે ખાબોચિયાં ના થવા
દઈએ. મચ્છર ખાબોચિયાંમાં પેદા થાય છે.
કૂવા, બોર કે નળની આજુબાજુ ગંદુ પાણી જમા
ના થવા દઈએ.
પ. મળ-મૂત્રનો નિકાલ કરીએ
-
ખુલ્લામાં સંડાસ ના
કરતાં શૌચાલયનો ઉપયોગ કરીએ.
-
ખુલ્લામાં સંડાસ જવું
પડે તો રહેણાક વિસ્તારથી દૂર જઈએ.
-
ખુલ્લામાં મળત્યાગ
કરીએ ત્યારે તેના ઉપર માટી નાખી દઈએ જેથી
માખી ફેલાય નહીં.
-
બાળકોના મળનો પણ
યોગ્ય નિકાલ કરીએ.
6. કચરાનો નિકાલ કરીએ
-
ઘર તથા આંગણાના
કચરાનો યોગ્ય નિકાલ કરીએ.
-
કચરો બાળવો નહિ પણ
કમ્પોસ્ટ કરી ખાતર બનાવીએ.
-
રેતી, કાંકરાનો કચરો
જમીનપુરાણ માટે વાપરી શકાય.
-
ઢોરના મળ-મૂત્રનો
યોગ્ય નિકાલ કરીએ, ઉકરડા ઘરથી દુર રાખીએ.
7. ખોરાકની કાળજી લઈએ
-
તાજો રાંધેલો અથવા
ગરમ ખોરાક જમીએ.
-
રાંધેલો ખોરાક ઢાંકી
રાખીએ જેથી માખી બેસી ગંદો કરે નહીં.
-
રસોડું અને રસોઈનાં
વાસણો સ્વચ્છ રાખીએ તથા રસોઈ કરતાં પહેલાં
હાથ અવશ્ય ધોઈએ.
-
વાસી, ખુલ્લો કે
બજારુ ખોરાક ખાવાનું ટાળીએ.
|
|
|
|
|
| |
|
|
|
|
|
|