|
પાણીસમિતિની રચના
ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક :
પરચ/2002/ 1082/ચ, તારીખ :
24/10/2002 મુજબ ગ્રામસભાની સભામાં આ હુકમ
વંચાણે લેવો. ત્યાર બાદ સમિતિની રચના માટે સમિતિની સભ્ય સંખ્યા અને સભ્યોની
પસંદગી કરવી અને ગ્રામસભાની ભલામણનો ઠરાવ મેળવ્યા પછી ગ્રામ પંચાયતની
બેઠકમાં સમિતિની સભ્ય સંખ્યા, રચના અને મુદત સંબંધી ઠરાવ કરવાનો રહેશે.
ગામની પીવાના
પાણીની જરૂરિયાત તથા તેની વિતરણ
વ્યવસ્થા અને સ્વચ્છતા અંગેના
આયોજન માટે ગ્રામસભા યોજવામાં આવે
છે. જેમાં પંચાયતના તમામ સભ્યો,
તલાટી કમ મંત્રી તથા ગામ આગેવાનો
અને ગામના ઘરદીઠ એક ઓછામાં ઓછા એક
ભાઈ/ બહેન સહિતના ગામના તમામ લોકો
આ સભામાં એકઠા થઈને ગામમાં પીવાના
પાણી અને સ્વચ્છતા સ્થિતિની ચર્ચા
કરીને ગામ લોકો નકકી કરી તે મુજબ
ઠરાવમાં જણાવ્યા મુજબ પાણીસમિતિના
સભ્યોની પસંદગી કરી ગ્રામસભામાં
સર્વે લોકોની બહાલી લઈને
પાણીસમિતિના સભ્યોની નિમણૂક
કરવાની હોય છે.
ગામની
પાણીસમિતિનું રાષ્ટ્રીયકૃત
બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે.
પાણીસમિતિની વહીવટી તમામ જવાબદારી
ગામના તલાટી કમ મંત્રીએ રાખવાની
રહેશે. ચેક પર સહી કરવાની સત્તા
પણ પાણીસમિતિએ નકકી કરવાની રહેશે.
જેમાં ત્રણ સભ્ય પૈકી બેની સહી
રહેશે.
આ ઠરાવ તથા
તેના સભ્યોનાં નામો અને હોદ્દાની
લેખિત જાણ તાલુકા વિકાસ
અધિકારીશ્રી (ટી.ડી.ઓ.)ને કરવાની
રહેશે.
પાણીસમિતિનાં
કાર્યો અને પ્રગતિની દેખરેખ ગ્રામ
પંચાયત રાખશે.
પાણીસમિતિની
મુદત ગ્રામ પંચાયતે કલમ-92(6)(ક)
અન્વયે બે વર્ષની ઠરાવવી અને મુદત
પૂરી થયે સમિતિએ અગાઉ જણાવેલા
રાજય સરકારશ્રીના ઠરાવ અનુસારનાં
ફકરા (2), (3), (4)માં જણાવેલી
રીતે પુનર્રચના કરવાની રહેશે.
અ.
પાણીસમિતિનો સમયગાળો તેની રચનાથી
ગ્રામ પંચાયતની કુલ મુદતના જે
સમયથી કરવામાં આવે ત્યારથી બે
વર્ષ સુધીનો હોવો જોઈએ.
બ. જો
પાણીસમિતિની પુનર્રચના કરવાની હોય
અને આ રચનાનો સમયગાળો બે વર્ષથી
ઓછો હોય તો પાણીસમિતિની મુદત
પંચાયતના બાકી રહેલા સમયગાળા
જેટલી હશે.
ક.
અગાઉની સમિતિના સભ્યો ફરી નિયુકત
થઈ શકે અથવા તેમાં ફેરફાર પણ કરી
શકાશે. પરંતુ બે વર્ષની મુદત
દરમિયાન સભ્યના મૃત્યુ/ રાજીનામા
જેવાં કારણોસર ખાલી પડેલી જગ્યા
ભરવા સિવાય સમિતિની પુનર્રચના થઈ
શકશે નહીં.
ડ. આ
અંગેની વધુ વિગતો અથવા અર્થઘટન
સરકારી ઠરાવ મુજબ જ કરવા વિનંતી
છે.
પાણીસમિતિનું
વિસર્જન કરવાનો અધિકાર તાલુકા
વિકાસ અધિકારીશ્રીનો રહેશે.
પાણી સમિતિ કયાં
કયાં કાર્યો કરશે ?
|