|
વાસ્મોના લોકવ્યવસ્થાપિત
પેયજળ અને સ્વચ્છતા કાર્યક્રમમાં સામેલ થઈને
આપણે આપણા ગામમાં પીવાના પાણી માટે નીચે
મુજબનાં પગલાં લઈ શકીએ છીએ.
પાણી માટે કેવાં પગલાં
લઈ શકીએ ?
- પાણીના સ્રોત
વિકસાવવા
- ઓવરહેડ ટાંકી અને
સમ્પ બાંધવા
- મહોલ્લે મહોલ્લે
સ્ટેન્ડ-પોસ્ટ મૂકવા
- પંચાયતઘર, શાળા
અને આરોગ્ય કેન્દ્રમાં પાણીની વ્યવસ્થા
કરવી
- બહેનો માટે સ્નાન
અને કપડાં ધોવાના ઘાટ બનાવવા
- પશુધન માટે અવેડા
બનાવવા
- હયાત સુવિધાઓનું
સમારકામ વગેરે
જળસંચય માટે કેવાં
પગલાં લઈ શકીએ ?
- તળાવ ઊંડું કરવું
કે સમારકામ કરવું
- કૂવા ગળાવવા કે
સમારકામ કરવું
- ચેકડેમ બાંધવા કે
સમારકામ કરવું
- છત પરથી વરસાદી
પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.
- વરસાદનું પાણી
જમીનમાં ઉતરે તેવા ગળતરકૂવા બનાવવા
- જળસ્રોત જાળવવા
અને વિકસાવવા વગેરે
|